લાઇફ લાઇન મંત્ર

~ ક્યારેક એવું બને છે કે લાલ-લાલ એવા ઉત્તમ ગાજરના મીઠાં સ્વાદિષ્ટ હલવામાં વધુ સ્વાદ વધારવા માટે નાખવામાં આવેલી ઇલાયચી જ તેનો આસ્વાદ બગાડતી હોય છે! (જેમને હલવામાં ઇલાયચીનો સ્વાદ ગમતો હોય તેમને તે મુબારક લેકીન બાબા કો વો બિલકુલ પસંદ નહી હૈ।)

~ જીવનનું પણ એવું જ છે ભક્તજનો..  મોજ-મસ્તી કે થ્રીલ (થ્રીલ બોલે તો.. રોમાંચ) જીવનના સ્વાદમાં એક્સ્ટ્રા વધારો કરે છે પણ કોઇ-કોઇ ધમાલ મસ્તી (પેલી ફિલ્મ મસ્તી માં છે ને એવી મસ્તી પણ) આખા જીવનનો સ્વાદ બગાડી નાખતી હોય છે અને સંસારસુખમાં કડવાશ આવી જતી હોય છે.

~ માટે હે ભક્તજનો સમયાનુસાર સમજ અને સંયમ જાળવવા અત્યંત જરૂરી છે. સંયમિત રહો અને ખુશ રહો એવા આશિર્વાદ સહ.. કલ્યાણં ભવઃ

~ અસ્તુ.

[“બાબાજીની અંતઃસ્ફુર્ણા” ગ્રંથનો એક નાનકડો અંશ]

.

વિશેષ:

ભક્તજનો નોંધ લે કે ભાવકોના અતિ આગ્રહને માન આપીને હવેથી સ્વ્યં બાબા બગીચાનંદ દ્વારા ઇ-સંસારીઓના કલ્યાણ માટે અહી પણ નિરંતર લાઇફ લાઇન મંત્ર આપવામાં આવશે. આ ઉપરાંત બાબાજીના જ્ઞાનનો લાભ પહેલા લેવાનું ચુકી ગયા હોય તે સજ્જનો આ ગ્રીન આશ્રમમાં ભુતકાળમાં રજુ થયેલી વાણીને માણવા જુઓ: બાબા બગીચાનંદના સંદેશ


header image: vishvagujarat.com