નેશનલ બુક ફેર (પુસ્તક મેળો) 2013

– ત્રણ દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત બુક ફેરની મુલાકાત લેવામાં આવી અને પુસ્તકોની વિશાળ દુનિયાના દર્શન કર્યા.

– આગળના વર્ષે ઘણી ઇચ્છા હોવા છતાં આ પુસ્તક મેળા સુધી પહોંચી નહોતુ શકાયું એટલે આ વખતે નક્કી કર્યું હતું કે જેમ બને તેમ જલ્દી જ જઇ આવવું.

– આમ તો આ પુસ્તક મેળામાં જવા માટે કોઇ ચોક્કસ કારણ નહોતું, પણ મને પુસ્તકો ગમે એટલે ત્યાં જવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. (અને આ બહાને બે-ચાર નવા પુસ્તકો ખરીદી લેવાય તેવી છુપી ઇચ્છા પણ ખરી.)

– એક પછી એક ઘણાં સ્ટોલની મુલાકાત લેવામાં આવી અને ફરતાં-ફરતાં કુલ દસેક પુસ્તક પસંદ કરવામાં આવ્યા. (આ બધા પુસ્તકનો એકસાથે ફોટો લેવો હતો પણ ઘરે આવ્યા પછી બધા પુસ્તકો ઘરના વ્યક્તિઓમાં આપોઆપ વહેંચાઇ ગયા, એટલે…)

– એક પુસ્તક કે જેને મેડમશ્રીના આગ્રહથી લેવામાં આવ્યું તેનો ફોટો નીચે જોઇ લો. (તેને ત્યાં આ વિષયના પુસ્તકોમાં જ રસ હતો એટલે આવા અન્ય બે પુસ્તકો પણ ખરીદવામાં આવ્યા.)

બાળ આરોગ્યશાસ્ત્ર - ડૉ. આઇ.કે.વિજળીવાળા

– આપણે ત્યાં સામાન્યરીતે સરકારી સંસ્થાઓ દ્વારા આ પ્રકારના આયોજનો ખુબ ઓછા હોય છે અને જો હોય તો તેની વ્યવસ્થામાં સરકારી ટચ આંખે ઉડીને દેખાતો હોય છે; પણ આ ‘બુક-ફેર’ને સંપુર્ણ રીતે પ્રોફેશનલ ટચ આપવા બદલ અને સુવિધા-સરળતાનો સુંદર ખ્યાલ રાખવા માટે આયોજકોને અભિનંદન અને દિલથી આભાર. (જો કે આ માટેની ક્રેડિટ તો મુખ્યમંત્રી મોદીને પણ આપવી પડે, તેમણે સરકારી ખાતાને ‘પ્રાઇવેટ સ્ટાઇલ’માં આયોજનો કરતા શીખવી દીધું ખરું!)

– હવે તો બે જ દિવસ બાકી છે છતાંયે જો પહોંચવું શક્ય હોય અને પુસ્તક સાથે થોડો પણ પ્રેમ હોય તો એકવાર મુલાકાત લેવા જેવી ખરી. પુસ્તકમેળા અંગેની માહિતી આ પોસ્ટની અંતમાં છે.

– પુસ્તકમેળાની કેટલીક છબીઓ : (ત્યાં અંદર ફરતી વખતે અમે પુસ્તકો જોવામાં એટલા વ્યસ્ત હતા કે ફોટો ક્લીક કરવાનું યાદ જ ન આવ્યું.)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત બુક ફેર 2013

Amdavad National Book Fair 2013

જુઓ ઉપરનો ફોટો; સરકારી અધિકારીઓ તેમની સ્વામી ભક્તિ જતાવવાનો એક પણ મોકો ન ચુકે ! 😀

Amdavad National Book Fair 2013

Amdavad National Book Fair 2013
Amdavad National Book Fair 2013
Amdavad National Book Fair 2013

અમદાવાદ નેશનલ બુક ફેર ૨૦૧૩ અંગેની માહિતી :

Amdavad National Book Fair 2013
Amdavad National Book Fair 2013

એપ્રિલની નવાજુની

– માર્ચ મહિનામાં પુરું કરવાનું હતું એ એકાઉન્ટીંગ કામ એપ્રિલમાં પણ જોરશોરથી ચાલું છે. (આખુ વર્ષ કામ છોડીને ભટકયા કરો એટલે આવી હાલત થાય.)

– છેલ્લા બે મહિના દરમ્યાન અન્ય કોઇ જવાબદાર વ્યક્તિ ન હોવાથી માલિક તરીકે ફુલ ટાઇમ ઓફિસમાં બેસવાનો ફાયદો એ થયો કે મારી કાર્યક્ષમતા વધારો અને આડી-અવળી ઉછળકુદમાં ઘણો ઘટાડો નોંધાયો છે. (હવે હું એક જગ્યાએ લાંબા સમય સુધી સ્થિર બનીને કામ કરી શકુ છું.)

– અને નુકશાન એ થયું છે કે હું મારી મસ્ત-મનચલી દુનિયાથી જાણે દૂર ફેંકાઇ ગયો છું. મિત્રો-યાર, સગા-સબંધી અને લગ્ન-સગાઇ જેવા દરેક પ્રસંગ કેન્સલ-લિસ્ટમાં ગોઠવાઇ ગયા છે. (ઘણી ઇચ્છા હોવા છતાં કયાંય જઇ શકાય તેમ નથી.)

– આટલી મોટી દુનિયામાં જયારે આખો દિવસ માત્ર એક ઓફિસમાં વિતાવીને પુરો કરવો પડે એ તો જીવતા નર્ક સમાન કહેવાય. (આ સ્થિતિમાં સુધારો કરવો અતિઆવશ્યક છે.)

– જીવનમાં કોઇ નવા કાર્ય કે કામથી આગળ વધીને કંઇ ક્રિએટિવ કાર્ય ન કરી શકે તેવો માણસ નકામો કહેવાય. સમય ન મળવો તે લગભગ બહાનામાં જ આવે છે; કેમ કે માણસ એક એવું પ્રાણી છે જે તેની ગમતી પ્રવૃતિ માટે ટાઇમ કઇ રીતે કાઢી લેવો તે ખુબ સારી રીતે જાણે છે. (‘હું માણસ છું’, એ મને જ સાબિત કરવું પડશે.)

– ફેસબુક-મેસેજમાં દબાયેલી એક માહિતી મેળવવા માટે ફેસબુકમાં એન્ટ્રી લેવામાં આવી. માહિતી તો મેળવી લેવાઇ પણ હવે માર્કભાઇની સિસ્ટમ મારા FB એકાન્ટને ડીએક્ટિવેટ કરવા નથી દેતી. (તે લોકો તેમની ટેકનીકલ ભાષામાં એમ કહે છે કે “કોઇ સમસ્યા છે, થોડા સમય પછી પ્રયાસ કરજો.”) જુઓ, સમસ્યા કંઇક આવી છે – click here (કોઇ મિત્ર પાસે અન્ય વિકલ્પ હોય તો જાણ કરવા વિનંતી.)

# ઇવેન્ટ્સ :

1. આજે સાંજે અમદાવાદમાં તોફાની ત્રિપુટી દ્વારા આયોજીત અને શ્રી તાહા મન્સૂરી સંચાલિત કાવ્ય-ગઝલ પઠનનો તોફાની મુશાયરો યોજવામાં આવી રહ્યો છે. જેમાં ફેસબુક પર વાંચવા મળતા કવિમિત્રોને એક મંચ પર લાવવાનો આ પ્રથમ પ્રયત્ન છે. (સમયનો ઘણો અભાવ છે તો પણ ત્યાં સુધી પહોંચવાનો સંપુર્ણ પ્રયાસ રહેશે.)

– સમય અને સ્થળ અંગેની માહિતી:

tofani musayaro
Ahmedabad national book fair

2. આ વેકેશનમાં વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ પર વાંચનપ્રેમીઓ માટે અ.મ્યુ.કો દ્વારા રાષ્ટ્રિય પુસ્તક મેળાનું જાહેર આયોજન કરવામાં આવ્યું છે. ૭ દિવસના આ પુસ્તકમેળામાં દરેક દિવસે અલગ-અલગ આકર્ષણનું આયોજન પણ છે.

– વધુ માહિતી માટે મુલાકાત લો – http://deshgujarat.com